નવી દિલ્હી: ભારતના રાજકારણમાં વર્ષ 2019 (Year 2019)  એક યાદગાર વર્ષ તરીકે જોવામાં આવશે. આ વર્ષમાં રાજકીય રીતે અનેક એવા નિર્ણયો લેવાયા જે વર્ષોથી પેન્ડિંગ મુદ્દા હતાં. જેમ કે કલમ 370 (Article 370)  અને કલમ 35એ નાબુદી, ત્રિપલ તલાક કાયદો, વગેરે, આ ઉપરાંત એવી પણ કેટલીક ઘટનાઓ ઘટી જેણે દેશના રાજકારણ (Politics) ની ધૂરા ઘૂમાવી દીધી. અનેક ઉલટફેરવાળું આ વર્ષ હાલની સત્તાને મજબુતાઈ તો આપે છે પરંતુ સાથે સાથે કેટલીક જગ્યાએ સવાલોથી ઘેરવાની કોશિશ પણ કરે છે....આવો તારીખવાર જોઈએ ક્રમબદ્ધ ઘટનાઓ....


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Year Ender 2019: 'હાઉડી મોદી' સહિતની દુનિયાભરની 8 મોટી ઘટનાઓ... જે તમારે જાણવી જરૂરી છે


14 ફેબ્રુઆરી 2019 (પુલવામા હુમલો)
દેશના યુવાઓ જ્યારે વેલેન્ટાઈન ડે ઉજવવામાં મશગુલ હતાં ત્યારે એવા સમાચાર આવ્યાં કે જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફના કાફલા પર આતંકી હુમલો થયો છે. આ હુમલામાં સીઆરપીએફના 40 જવાનો શહીદ થઈ ગયાં. પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદે આ હુમલાની જવાબદારી લીધી હતી. પુલવામા આતંકી હુમલાના 12 દિવસ બાદ ભારતે પણ મોટી જવાબી કાર્યવાહી કરી હતી. 


'3 મિત્રો'ના હાથમાં હવે દેશની સુરક્ષાની કમાન! તેમની વચ્ચે આ બાબતો છે કોમન...


27 માર્ચ 2019 (એન્ટી સેટેલાઈટ મિસાઈલ ધરાવતો ભારત ચોથો દેશ બન્યો)
ભારતે 27 માર્ચના રોજ મિશન શક્તિનુ પરિક્ષણ કર્યું. આ એન્ટી સેટેલાઈટ મિસાઈલ પરિક્ષણ હતું. આ પરિક્ષણ   બાદ ભારત દુનિયાના એ ગણતરીના દેશોમાં સામેલ થઈ ગયો જે અંતરિક્ષમાં સેટેલાઈટને તોડી પાડવામાં મહારથ ધરાવે છે. 


ટ્રેનમાં બહાર લટકીને સ્ટંટ કરવો ભારે પડ્યો યુવકને, જીવ ગયો...કાચાપોચા ન જોતા આ VIDEO  


23 જુલાઈ 2019 (ચંદ્રયાન લોન્ચ)
ભારતના અંતરિક્ષ કાર્યક્રમ માટે આ વર્ષની સૌથી મોટી સફળતા ચંદ્રયાન 2 રહ્યું. ચંદ્રયાન 2એ ચંદ્રમાના સાઉથ પોલ પર સોફ્ટ લેન્ડિંગ કરવાનું હતું. ઈસરોએ શ્રીહરિકોટા સ્થિત સતીષ ધવન અંતરિક્ષ કેન્દ્રથી 23 જુલાઈના રોજ ચંદ્રયાન 2ને લોન્ચ કર્યું હતું. 


J&Kમાં સરકારી નોકરીની સુવર્ણ તક, પહેલીવાર દેશભરમાંથી અરજી મંગાવાઈ, જાણો સમગ્ર વિગતો


5 ઓગસ્ટ 2019 (જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 અને 35એ હટાવાઈ)
આ દિવસ વર્ષ 2019નો સૌથી મોટો રાજકીય રીતે ઐતિહાસિક દિવસ બની ગયો. આઝાદી બાદથી જ કાશ્મીર મુદ્દો ભારતીય રાજકારણ માટે પડકાર અને અસ્પષ્ટતાનો મુદ્દો બની રહ્યો. ચર્ચા તો થઈ પરંતુ ક્યારેય કોઈ યોગ્ય નિષ્કર્ષ નીકળ્યો નહીં. પરંતુ ઓગ્સટ મહિનાની પાંચમી તારીખે કોઈએ વિચાર્યું પણ નહીં હોય તેવું બન્યું. જમ્મુ અને કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજજ્જો આપતી કલમ 370 અને કલમ 35 એને હટાવવાનો નિર્ણય મોદી સરકારે લીધો. 


મહારાષ્ટ્રમાં પરિવારવાળી સરકાર, અજિત બન્યા ડે.CM, આદિત્યને મળ્યું કેબિનેટ મંત્રીનું પદ


ભાજપ-શિવસેનામાં મુખ્યમંત્રી પદને લઈને પેચ ફસાયો અને બંને વચ્ચેનો સંબંધ તૂટ્યો. શિવસેના એનસીપી અને કોંગ્રેસ સાથે મળીને જ્યાં રાજ્યમાં સરકાર બનાવવાની વેતમાં હતી ત્યાં જ અચાનક 23 નવેમ્બરના રોજ દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવારે સીએમ અને ડેપ્યુટી સીએમના શપથ લઈને બધાને ચોંકાવી દીધા. રાતોરાત થયેલા આ ઘટનાક્રમ સામે શિવસેના-કોંગ્રેસ અને એનસીપી સુપ્રીમ કોર્ટ પહોંચ્યાં. જેના પર કોર્ટે હસ્તક્ષેપ કરીને ભાજપનું પાસુ પલટી નાખ્યું. આમ મહીના રાજ્યમાં સરકાર બની શકી. 


9 નવેમ્બર 2019 (અયોધ્યા મામલે ઐતિહાસિક ચુકાદો)
ભારતની વાત થાય અને ધર્મની વાત ન હોય તેવું બને જ નહીં. સદીઓથી આ દેશના રાજનીતિના સફરમાં ધાર્મિક મામલાઓએ માઈલસ્ટોન જેવું કામ કર્યું છે. લગભગ 500 વર્ષ જૂના અને 27 વર્ષથી કોર્ટના ચક્કરમાં ફસાયેલા રામ મંદિરના મુદ્દા પર આખરે પૂર્ણ વિરામ મૂકાયું. આ સૌભાગ્ય 9 નવેમ્બર 2019ના રોજ જોવા મળ્યું. 


PM મોદીએ આધ્યાત્મિક ગુરુ સદગુરુનો VIDEO શેર કરીને કહ્યું-'નાગરિકતા કાયદા પર લોકો ભ્રમ દૂર કરે'


11 ડિસેમ્બર 2019 (નાગરિકતા સંશોધન કાયદા પર મહોર) 
નાગરિકતા સંશોધન બિલ 2019 11 ડિસેમ્બર 2019ના રોજ રાજ્યસભામાં પસાર થયું. 12 ડિસેમ્બરે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેના પર મહોર લગાવી અને ત્યારબાદ આ બિલ કાયદો બન્યું. આ બિલ પાસ થતા જ દેશભરમાં તેણે વિરોધનો સામનો કરવો પડ્યો. અફવાઓના બજાર ગરમ થતા નાગરિકતા કાયદો તો બની ગયો પરંતુ દેશમાં સ્થિતિ અરાજક થઈ. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....